paragraph test

Cuscuta Quiz - APEXA GYAN

અમરવેલ વિષયક MCQ ક્વિઝ

વાંચવા માટેનો ફકરો:
અમરવેલ પરોપજીવી છોડ છે તેને મૂળ અથવા પાન હોતા નથી. તે પુષ્કળ તાંતણાઓ તથા તાંતણા જેવું થડ ધરાવતો છોડ છે. અમરવેલ જમીનમાંથી પાણી તેમજ પોષકતત્વોનું શોષણ કરી શકતી નથી. પરંતુ યજમાન છોડમાંથી તેનું સંશ્લેષણ કરીને જીવે છે. અમરવેલ છોડની આસપાસ વિંટળાય જાય છે અને વિશિષ્ટ પ્રકારના નહોર ધુસાડીને રસ ચૂસે છે. દરેક જાતીઓને પોતાના વિશિષ્ટ યજમાન હોય છે. જમીનમાં અમરવેલના બી ૮ થી ૧૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે. પશુઆહારમાં પાચન થઈ બહાર નીકળેલા બીજમાં ફુરણશકિત વધારે હોય છે. જમીનમાં ૪ થી ૮ સે.મી. ઉંડે સુધી દબાયેલ બીજ ઉગી શકે છે. જમીનમાં પડેલા બીજ વરસાદની ઋતુમાં ઉગી નીકળે છે અને યજમાન છોડ મળતા અમરવેલનો તાંતણો તેની આજુબાજુ વિંટળાઈ જાય છે. ધીરે ધીરે આ તાંતણા યજમાન છોડના થડની પેશીઓમાં તેના નહોર નાખે છે અને જમીનથી પોતાનો સંપર્ક તોડી નાંખે છે. આમ તે સંપૂર્ણ પરોપજીવી બની જાય છે.
1. અમરવેલ છોડ કેવા પ્રકારના પરોપજીવી છે?
2. અમરવેલ તેના તાંતણાઓ યજમાનમાં શા માટે નાખે છે?
3. અમરવેલ છોડની આસપાસ ક્યારે વિંટળાઈ જાય છે?
4. અમરવેલ તેના નહોર ક્યાં ધુસાડે છે?
5. અમરવેલના બી જમીનમાં કેટલા વર્ષ જીવિત રહી શકે છે?
Previous Post Next Post

Contact Form